દિલ્હીની વાત: 'અશુદ્ધ લોકો મસ્જિદમાં નહીં આવી શકે' વિષે માહિતી.
દિલ્હીની વાત: 'અશુદ્ધ લોકો મસ્જિદમાં નહીં આવી શકે' વિષે માહિતી.
Published on: 30th July, 2025

ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના પ્રમુખ મૌલાના શાહબુદ્દીન રઝવી બરેલવીએ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને પત્ર લખી મૌલાના મોહીબબુલ્લાહ નદવીને મસ્જિદના ઇમામ તરીકે દુર કરવાની માંગણી કરી છે. થોડા દિવસો પહેલા મસ્જિદમાં સમાજવાદી પક્ષની મીટિંગ થઇ હતી જેમાં અખિલેશ યાદવ, સાંસદ ડિમ્પલ યાદવ અને ઇકરા હસન જેવા નેતાઓ હાજર રહ્યા હતા. બરેલવીએ લખ્યું છે કે આ મીટિંગથી મસ્જિદની પવિત્રતાનું અપમાન થયું છે.