અમદાવાના બાવળાના સરલા, કાળીવેજી સહિતના ગામો બેટમાં ફેરવાયા
અમદાવાના બાવળાના સરલા, કાળીવેજી સહિતના ગામો બેટમાં ફેરવાયા
Published on: 26th July, 2026

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. બાવળાના કોઠા તલાવડી, કાળીવેજી, મીઠાપુર, સરલા, શિયાળ અને કાણોતર સહિતના ગામોમાં ઉપરવાસના પાણી ફરી વળતાં આ ગામડાંઓ સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયા છે. માલધારીઓ અને પશુપાલકોની હાલાકી વધી છે. સરલા ગામના ડ્રોન વિઝ્યુઅલ્સમાં ચારેય તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.