ગુજરાતમાં અતિવૃષ્ટિ: સર્વત્ર વિનાશ, પાક, ઘર અને વ્યવસાયોને ભારે નુકસાન
ગુજરાતમાં અતિવૃષ્ટિ: સર્વત્ર વિનાશ, પાક, ઘર અને વ્યવસાયોને ભારે નુકસાન
Published on: 26th July, 2026

ગુજરાતમાં થયેલા અતિવૃષ્ટિ અને ભારે વરસાદને કારણે સર્વત્ર વિનાશ સર્જાયો છે. અમદાવાદમાં 15 ઇંચ વરસાદથી ઘરો, વાહનો અને દુકાનોમાં પાણી ભરાયા છે, જેના કારણે લાખોનું નુકસાન થયું છે. બનાસકાંઠા, વલસાડ, આણંદ અને અમરેલી જેવા વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાઈ જતાં મગફળી, જુવાર, ડાંગર જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે. વલસાડના દાણા બજારમાં અનાજ પલળી જતાં વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે, જ્યારે મીઠા ઉદ્યોગને પણ ફટકો પડ્યો છે. અસરગ્રસ્તો તાત્કાલિક સર્વે અને સહાયની માંગ કરી રહ્યા છે.