જામનગરમાં કારગિલ વિજય દિવસે શહીદોને અર્પણ કરાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ
જામનગરમાં કારગિલ વિજય દિવસે શહીદોને અર્પણ કરાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ
Published on: 26th July, 2026

જામનગરમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા લાખોટા તળાવ ખાતે શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે માજી સૈનિકો અને દેશની રક્ષામાં શહીદ થયેલા જવાનોના પરિવારોએ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી. ઉપસ્થિત સૌએ શહીદોના અદમ્ય શૌર્ય, બલિદાન અને રાષ્ટ્રસેવાને યાદ કરી તેમને નમન કર્યું. 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. માજી સૈનિકોએ શહીદોના બલિદાનને દેશવાસીઓ માટે પ્રેરણારૂપ ગણાવ્યું.