સુરતના ખાડીપૂરનો ભય ટળ્યો, હવે સફાઈ અને આરોગ્ય સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત
સુરતના ખાડીપૂરનો ભય ટળ્યો, હવે સફાઈ અને આરોગ્ય સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત
Published on: 26th July, 2026

ભારે વરસાદ અને ખાડીપૂરની વિકટ પરિસ્થિતિ બાદ સુરત શહેર ધીમે ધીમે રાહત તરફ આગળ વધી રહ્યું છે. મુખ્ય ખાડીઓનું જળસ્તર જોખમી સપાટીથી નીચે આવતાં તંત્રને મોટી રાહત મળી છે. વરસાદી પાણી ઓસરતાં જ સુરત મહાનગરપાલિકાએ શહેરને સામાન્ય સ્થિતિમાં લાવવા સફાઈ, કાદવ દૂર કરવા, માર્ગ મરામત અને આરોગ્ય સુરક્ષા માટેનું વિશાળ અભિયાન શરૂ કર્યું છે. જોકે, અનેક વિસ્તારોમાં હજુ પણ કચરાના ઢગલા અને ગંદકી યથાવત હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે.