અમદાવાદ-ઈન્દોર હાઈવે પર દાહોદ નજીક ભયાનક અકસ્માત
અમદાવાદ-ઈન્દોર હાઈવે પર દાહોદ નજીક ભયાનક અકસ્માત
Published on: 26th July, 2026

અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે પર દાહોદ નજીક પાણીયા બસ સ્ટેન્ડ પાસે બે આઇસર ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. કેમિકલ ભરેલી એક ટ્રકે પાછળથી ઉભેલી ટ્રકને ટક્કર મારતાં ભીષણ આગ ફાટી નીકળી. આ આગમાં બંને ટ્રકની કેબિનમાં ફસાયેલા બે લોકો જીવતા ભુંજાઈ ગયા, જેના કારણે કરૂણ મોત નીપજ્યા. આગની જ્વાળાઓએ આસપાસના પ્લાયવુડનો જથ્થો પણ ભસ્મીભૂત કર્યો. ફાયર બ્રિગેડ અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી, મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા.