ગુજરાત સરકારની ઘરવિહોણા પરિવારો માટે મોટી જાહેરાત
ગુજરાત સરકારની ઘરવિહોણા પરિવારો માટે મોટી જાહેરાત
Published on: 26th July, 2026

ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારોમાં ઘરવિહોણા પરિવારો માટે રહેણાંક પ્લોટની સમતળ સહાયમાં નોંધપાત્ર વધારો કર્યો છે. નવા સુધારા મુજબ, ૧૦૦ ચોરસ વારના મફત પ્લોટ મેળવનાર કુટુંબોને જમીન વિકાસ અને સમતળ કરવા માટેની સહાય ૧,૦૦૦ રૂપિયાથી વધારીને ૫,૦૦૦ રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત, ગામતળમાં હેક્ટર દીઠ જમીન સમતળ કરવાની સહાય ૫૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૨ લાખ રૂપિયા કરવામાં આવી છે. આ પગલાંથી આવાસ નિર્માણ ઝડપી બનશે અને લાભાર્થીઓને મોટી રાહત મળશે.