અસમમાં ભયાનક પૂર: 66 લોકોના મોત
અસમમાં ભયાનક પૂર: 66 લોકોના મોત
Published on: 26th July, 2026

અસમમાં પૂરની સ્થિતિ ગંભીર બની છે, મૃત્યુઆંક 66 સુધી પહોંચ્યો છે. રાજ્યના 10 જિલ્લાઓમાં 6.54 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને 810 ગામો પાણીમાં ગરકાવ છે. ખેતી અને માળખાકીય સુવિધાઓને પણ મોટું નુકસાન થયું છે. કેન્દ્રીય ટીમ નુકસાનીનો સર્વે કરી રહી છે અને મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ રાહત સામગ્રી પહોંચાડવા હેલિકોપ્ટરના ઉપયોગની જાહેરાત કરી છે. NDRF, SDRF અને સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે.