સાબરમતી નદીના હીરપુરા બેરેજમાંથી પાણી છોડાશે
સાબરમતી નદીના હીરપુરા બેરેજમાંથી પાણી છોડાશે
Published on: 26th July, 2026

સાબરમતી નદી પર આવેલા હીરપુરા બેરેજમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની સતત આવક વધી રહી છે. જળસ્તર જાળવવા અને સલામતી માટે તંત્ર વધારાનું પાણી છોડવાની તૈયારીમાં છે. આજે બપોરે 2 થી 3 વાગ્યાની વચ્ચે જરૂર મુજબ પાણી છોડાઈ શકે છે. આ કારણે મહેસાણાના વિજાપુર અને સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના નદીકાંઠાના કુલ 8 ગામોને તાત્કાલિક સાવચેત કરાયા છે. ગ્રામજનોને નદીના પટમાં કે કિનારાના વિસ્તારોમાં જવાની મનાઈ છે અને પશુઓને પણ નદી તરફ લઈ જવા નહીં.