વરાછાની શાળાઓની અનોખી પહેલ
વરાછાની શાળાઓની અનોખી પહેલ
Published on: 26th July, 2026

સુરત પાલિકા સંચાલિત વરાછાની બે શાળાઓ જન્મદિવસની ઉજવણીને દેશભક્તિના કાર્યમાં પરિવર્તિત કરી રહી છે. વિદ્યાર્થીઓ પોતાના જન્મદિવસ પર ચોકલેટ વહેંચવાને બદલે, તે ખર્ચમાંથી બચાવેલા નાણાં "શહીદાંજલિ બોક્સ"માં જમા કરાવે છે. વર્ષ દરમિયાન એકત્ર થયેલી આ રકમ કારગિલ વિજય દિવસે શહીદ પરિવારોને અર્પણ કરવામાં આવે છે. 2017માં માત્ર 5 હજારના દાનથી શરૂ થયેલી આ પહેલ આજે 10 લાખ રૂપિયાના યોગદાન સુધી પહોંચી ગઈ છે. આ પહેલ બાળકોમાં દેશભક્તિ, સંવેદના અને સેવાભાવના જેવા મૂલ્યોનું સિંચન કરે છે.