૧૨ દિવસ મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં: NHRC એ ગુજરાત સરકાર પાસે માંગ્યો જવાબ
૧૨ દિવસ મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં: NHRC એ ગુજરાત સરકાર પાસે માંગ્યો જવાબ
Published on: 26th July, 2026

અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલમાં ભનીબેન હરેશભાઈના મૃત્યુ બાદ, તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખાતે મોકલવામાં આવ્યો હતો. જોકે, ફરિયાદ મુજબ, મૃતદેહને ૧૨ દિવસથી વધુ સમય કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો, જેના કારણે પરિવારજનો સમયસર અંતિમ સંસ્કાર કરી શક્યા નહીં અને તેમને ભારે માનસિક યાતના ભોગવવી પડી. આ ગંભીર માનવ અધિકારના ભંગ બદલ NHRC એ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મુખ્ય સચિવને ચાર અઠવાડિયામાં Action Taken Report (ATR) રજૂ કરવાનો આદેશ કર્યો છે. આયોગે કલમ-૨૧ હેઠળ ગૌરવપૂર્ણ જીવનના અધિકારના સંભવિત ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવ્યો છે.