ઘરવિહોણા પરિવારો માટે સરકારે ઘર બાંધવાની સહાયમાં કર્યો મોટો વધારો
ઘરવિહોણા પરિવારો માટે સરકારે ઘર બાંધવાની સહાયમાં કર્યો મોટો વધારો
Published on: 26th July, 2026

ગુજરાત સરકારે ગ્રામ્ય ઘરવિહોણા પરિવારોને સન્માનજનક આવાસ ઉપલબ્ધ કરાવવા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે મફત રહેણાંક પ્લૉટ ફાળવવામાં આવશે ત્યાં જમીન સમતળ કરવા માટે મળતી સહાયમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. મકાન બાંધવા માટે ફાળવાયેલ મફત પ્લૉટ દીઠ જમીન વિકાસ / સમતળ ખર્ચ તરીકે મળતી સહાય રૂ. 1,000 થી વધારીને રૂ. 5,000 કરી છે. ગામતળમાં ખાડા-ટેકરાવાળી જમીન સમતળ કરવા માટે પ્રતિ હેક્ટર મળતી સહાય રૂ. 50,000 થી સીધી રૂ. 2 લાખ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.