હિંમતનગરમાં વૈજનાથ મહાદેવ મંદિરમાં કમળ અને ડમરાની પાંદડીઓથી વિશેષ શણગાર.
હિંમતનગરમાં વૈજનાથ મહાદેવ મંદિરમાં કમળ અને ડમરાની પાંદડીઓથી વિશેષ શણગાર.
Published on: 30th July, 2025

હિંમતનગરના રાયગઢ ગામે વૈજનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શિવનો વિશેષ શણગાર કરાયો. પ્રતાપસાગર તળાવ પાસેના મંદિરમાં શિવજીને કમળ ફૂલ, ઇંગ્લિશ ફૂલો અને ડમરાની પાંખડીઓથી શણગારવામાં આવ્યા. આ અનોખા શણગારના દર્શન કરવા સ્થાનિક લોકો અને આસપાસના ભક્તો ઉમટ્યા. શ્રાવણ માસમાં વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન કરાયું, જેમાં આ શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યો.