તાપી જિલ્લાના 11 ગામમાં શેરી નાટક દ્વારા પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અંગે જનજાગૃતિ ફેલાવાઈ.
તાપી જિલ્લાના 11 ગામમાં શેરી નાટક દ્વારા પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અંગે જનજાગૃતિ ફેલાવાઈ.
Published on: 31st July, 2025

તાપી જિલ્લામાં દ.ગુ.વિ.કં.લિ. દ્વારા પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અંતર્ગત જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું. જેમાં વ્યારા વિભાગીય કચેરી દ્વારા શેરી નાટકથી સોલર રૂફટોપના ફાયદા સમજાવવામાં આવ્યા. કુકરમુંડા અને નિઝર તાલુકાના ગામોમાં અમદાવાદની નાટ્ય સંસ્થા "રાજુ જોષી ગૃપ" દ્વારા નાટકો ભજવાયા. આ અભિયાનનો હેતુ ગ્રીન એનર્જીના વપરાશને પ્રોત્સાહન આપવાનો છે.