હિંમતનગર રાજગઢ વૈજનાથ દાદાને રામ લખી, કપુરી પાન અને કમળનો શણગાર.
હિંમતનગર રાજગઢ વૈજનાથ દાદાને રામ લખી, કપુરી પાન અને કમળનો શણગાર.
Published on: 01st August, 2025

સાબરકાંઠાના હિંમતનગરના રાજગઢ ગામે વૈજનાથ દાદાના મંદિરે શ્રાવણ માસના સાતમા દિવસે વિશેષ શણગાર કરાયો. શિવજીને રંગોળીના રંગોથી રામ શબ્દ લખી, કપુરી પાન, કમળ અને ગુલાબ ફૂલોથી શણગાર કરાયો. ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. હિંમતનગરના ભોળેશ્વર મહાદેવ મંદિરે પણ દાદાને બીલીપત્રો અને ફૂલોથી શણગારવામાં આવ્યા.