ગુજરાતની 50,000 શાળામાં ‘આપણી શાળા-આપણું સ્વાભિમાન’ અભિયાન: 70 લાખ વિદ્યાર્થી અને 2 લાખ શિક્ષકોના સંકલ્પ.
ગુજરાતની 50,000 શાળામાં ‘આપણી શાળા-આપણું સ્વાભિમાન’ અભિયાન: 70 લાખ વિદ્યાર્થી અને 2 લાખ શિક્ષકોના સંકલ્પ.
Published on: 03rd September, 2025

'આપણી શાળા-આપણું સ્વાભિમાન' અભિયાનની શરૂઆત ડો. અબ્દુલ કલામ પ્રાથમિક શાળા, સુરત ખાતે થઈ. ડેપ્યુટી મેયરની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં ગુજરાતની 50,000થી વધુ શાળાઓના 70 લાખ વિદ્યાર્થીઓ અને 2 લાખથી વધુ શિક્ષકોએ સંકલ્પ લીધા. શાળાઓને સંસ્કારોનું તીર્થસ્થાન બનાવવાના ઉદ્દેશ સાથે સ્વચ્છતા, શિસ્ત, ચારિત્ર નિર્માણ, સમાજસેવા, સમરસતા જેવા પાંચ સંકલ્પો લેવામાં આવ્યા. પ્રથમ તબક્કામાં 'આપણું વિદ્યાલય આપણું તીર્થ' અભિયાનની શરૂઆત 1000 શાળાઓથી કરવામાં આવી.