લીમખેડા રામદેવજી મંદિરે દશમ પર્વની ભવ્ય ઉજવણી: હજારો ભક્તો, ખોળાની માનતા અને તુલા વિધિ કરાઈ.
લીમખેડા રામદેવજી મંદિરે દશમ પર્વની ભવ્ય ઉજવણી: હજારો ભક્તો, ખોળાની માનતા અને તુલા વિધિ કરાઈ.
Published on: 03rd September, 2025

લીમખેડાના રામદેવજી મંદિરે દશમ પર્વે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશથી હજારો ભક્તો ઉમટ્યા. આ મંદિરે રાખેલી માનતા ફળે છે એવી લોકવાયકા છે. નિ:સંતાન દંપતીઓ સંતાન પ્રાપ્તિ માટે ખોળાની બાધા રાખે છે. દશમના દિવસે વિશેષ હવન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ બાળકોની તુલા વિધિ કરાવી અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. ભંડારાનું આયોજન થયું, અને 2032 સુધીનું booking થઈ ગયું છે.