વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલે જેટી નિરીક્ષણ કર્યું
વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલે જેટી નિરીક્ષણ કર્યું
Published on: 07th September, 2026

વલસાડમાં ઔરંગા નદી કિનારે જેટી પર ગણેશ વિસર્જનની તૈયારીઓ અને રસ્તાની મરામત કામગીરીનું ધારાસભ્ય ભરતભાઈ પટેલે નિરીક્ષણ કર્યું. સ્થાનિક પદાધિકારીઓએ ગણપતિ મંડળોની મુશ્કેલીઓ રજૂ કરી. ધારાસભ્યએ જિલ્લા કલેક્ટર અને ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી કે વિસર્જન દરમિયાન કોઈ અગવડ ન પડે અને જરૂરી સુવિધાઓ, સુરક્ષા તથા વ્યવસ્થા ઉપલબ્ધ થાય. આ બાદ કામગીરી શરૂ થઈ અને ધારાસભ્યએ સૂચનો પણ આપ્યા.