પર્યુષણ પર્વ ધાર્મિક બસ પ્રવાસ: AMTS દ્વારા જૈન દેરાસરોમાં દર્શન માટે વિશેષ યોજના
પર્યુષણ પર્વ ધાર્મિક બસ પ્રવાસ: AMTS દ્વારા જૈન દેરાસરોમાં દર્શન માટે વિશેષ યોજના
Published on: 07th September, 2026

આગામી 8 સપ્ટેમ્બરથી શરૂ થતાં પર્યુષણ પર્વ નિમિત્તે જૈન ભાવિકો માટે AMTS દ્વારા એક વિશેષ ધાર્મિક બસ પ્રવાસ યોજના જાહેર કરાઈ છે. આ યોજના હેઠળ, શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા જૈન દેરાસરોમાં દર્શન માટે AMC વિસ્તારના નાગરિકો ₹3000 અને AUDA વિસ્તારના નાગરિકો ₹5000 ચૂકવીને લાભ લઈ શકશે. લાલદરવાજા, સારંગપુર, વાડજ અને મણીનગર ટર્મિનસ પરથી બસ ઉપડશે, જે ઘરેથી લઈ જઈને દર્શન કરાવી પરત મૂકશે. આ નોન-AC બસોમાં 40 મુસાફરો સુધી બેસવાની સુવિધા હશે.