સુરતમાં 20 સોસાયટીઓના રહીશોનો સુએઝ પ્લાન્ટ સામે જનઆક્રોશ
સુરતમાં 20 સોસાયટીઓના રહીશોનો સુએઝ પ્લાન્ટ સામે જનઆક્રોશ
Published on: 07th September, 2026

સુરત મહાનગરપાલિકાના નવા કમિશનર રાજકુમાર બેનીવાલે પદભાર સંભાળ્યો તે જ દિવસે ટી.પી. સ્કીમ નંબર 37, બ્લોક નંબર 105 વિસ્તારમાં પ્રસ્તાવિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) સામે સ્થાનિક નાગરિકોનો ઉગ્ર આક્રોશ જોવા મળ્યો. આસપાસની અંદાજે 20 જેટલી સોસાયટીઓના રહીશોએ 'તાપી ભવન' ખાતે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું. રહીશો દુર્ગંધ, પર્યાવરણીય પ્રદૂષણ અને રોગચાળાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. તેમણે માંગ કરી છે કે આ પ્રોજેક્ટનું સ્થળ રહેણાંક વિસ્તારથી દૂર ખસેડવામાં આવે, નહિંતર ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.