ઝિલીયા ગામે શ્રાવણના અંતિમ સોમવારે ભવ્ય લોકમેળો
ઝિલીયા ગામે શ્રાવણના અંતિમ સોમવારે ભવ્ય લોકમેળો
Published on: 07th September, 2026

ચાણસ્મા તાલુકાના ઝિલીયા ગામે સ્વયંભૂ ઝિલેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ સોમવારે પરંપરાગત રીતે ભવ્ય લોકમેળો યોજાયો હતો. આ ધાર્મિક પ્રસંગે ઝિલીયા અને આસપાસના વિસ્તારોમાંથી હજારો ભક્તોએ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મેળામાં બાળકો માટે રમકડાં, ચકરડીઓ અને વિવિધ નાસ્તાની દુકાનો સહિત અનેક સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. આ ઉત્સવ માત્ર ધાર્મિક મહત્વ જ નહીં, પરંતુ સ્થાનિક અર્થતંત્રને પણ વેગ આપે છે.