રાજુલાના રત્નકલાકારોનો મોંઘવારી સામે રોષ!
રાજુલાના રત્નકલાકારોનો મોંઘવારી સામે રોષ!
Published on: 07th September, 2026

રાજુલાના રત્નકલાકારોમાં મજૂરીના ભાવ વધારા મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી જૂના ભાવમાં હીરા ઘસાવવામાં આવતા હોવાથી વર્તમાન મોંઘવારીમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. આથી, તાત્કાલિક ભાવ વધારો કરવા માંગણી ઉઠાવવામાં આવી છે. આ મામલે રત્નકલાકારોએ રાજુલા પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી છે. સ્થાનિક કોંગ્રેસ પણ રત્નકલાકારોની માંગણીઓને સમર્થન આપી ન્યાયિક લડતમાં જોડાઈ છે.