વડોદરામાં નાળાની સફાઈના અભાવે 25 સોસાયટીઓમાં પાણી ભરાયા
વડોદરામાં નાળાની સફાઈના અભાવે 25 સોસાયટીઓમાં પાણી ભરાયા
Published on: 14th September, 2026

વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ કરતું મહાનગરનું નાળું સફાઈ નહીં કરવામાં આવતા કલાદર્શન અને તેની આજુબાજુની 25 થી 30 સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. બાર દિવસ પહેલા સફાઈની કામગીરી કરવા જણાવ્યું હોવા છતાં સફાઈ નહીં કરતા આ પરિસ્થિતિ સર્જાય છે, જેને કારણે કોર્પોરેશનના તંત્રની નિષ્કાળજી છતી થઈ છે. કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશીએ આક્ષેપ કર્યો છે કે, અધિકારીઓએ સમયસર કામગીરી કરી નથી, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.