સૌરાષ્ટ્ર-કચ્છના 82 સહિત રાજ્યના 240 તાલૂકામાં વરસાદ
સૌરાષ્ટ્ર-કચ્છના 82 સહિત રાજ્યના 240 તાલૂકામાં વરસાદ
Published on: 14th September, 2026

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘાવી માહોલ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 240 તાલૂકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં કપરાડામાં 4.45 ઇંચ, વલીયામાં 3.82 ઇંચ, નાનાપોંઢામાં 3.54 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ વચ્ચે આ વરસાદથી જીવસૃષ્ટિને રાહત મળી છે. આગામી શનિવાર સુધી મેઘાવી માહોલ યથાવત રહેશે. નર્મદા ડેમ તેની મહત્તમ જળ સપાટીથી માત્ર પોણા બે મીટર દૂર છે અને આગામી એક સપ્તાહમાં ભરાઈ શકે છે. રાજ્યના 207 જળાશયોમાં હાલ 76.02 % જળસંગ્રહ નોંધાયો છે.