સુરતમાં અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત
સુરતમાં અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત
Published on: 14th September, 2026

સુરત શહેરમાં સવારથી અવિરત વરસાદ વરસવાથી જનજીવન પર તેની સીધી અસર જોવા મળી હતી. નોકરી-ધંધા માટે નીકળેલા લોકોને વરસાદી પાણી અને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. પીક અવર્સ દરમિયાન શહેરના કેટલાક મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી હતી, જેના કારણે લોકોને પહોંચવામાં વધુ સમય લાગ્યો. રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદથી ગરમી અને બફારામાંથી રાહત મળી હતી, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.