જૂનાગઢના માંગરોળ બંદરે 3 નંબર સિગ્નલ
જૂનાગઢના માંગરોળ બંદરે 3 નંબર સિગ્નલ
Published on: 14th September, 2026

જૂનાગઢના માંગરોળ બંદર પર વરસાદી સિસ્ટમને કારણે દરિયો તોફાની બન્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને કરંટ વધ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા અને દરિયાકાંઠે જોખમી સ્થળોએ જવાનું ટાળવા સૂચના અપાઈ છે. તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.