સોરઠમાં મેઘરાજાની મહેર: જૂનાગઢમાં 2, ભેંસાણમાં 4 ઇંચ વરસાદથી ખેડૂતોમાં ખુશી
સોરઠમાં મેઘરાજાની મહેર: જૂનાગઢમાં 2, ભેંસાણમાં 4 ઇંચ વરસાદથી ખેડૂતોમાં ખુશી
Published on: 14th September, 2026

સોરઠ પંથકમાં મેઘરાજાની પધરામણીથી ધરતીપુત્રોના ચહેરા પર ખુશીની લહેર દોડી છે. જૂનાગઢ અને ભેંસાણ સહિત અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં 2 થી 4 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. આ વરસાદે સુકાતી ઉભી મોલાતને નવજીવન આપ્યું છે. દાતારના ડુંગર અને જંગલ વિસ્તારમાં સારા વરસાદને કારણે કાળવા નદીમાં પૂર આવ્યું છે અને દામોદર કુંડમાં નવા નીર આવ્યા છે. લાંબા વિરામ બાદ થયેલા આ વરસાદથી ખેડૂતોમાં નવી આશા જન્મી છે.