યુવા લેખિકા શ્વેતા પટેલને સન્માન: 15 ઓગસ્ટે દિલ્હીમાં ધ્વજવંદનમાં વિશિષ્ટ અતિથિ બનશે, જે ગૌરવની વાત છે.
યુવા લેખિકા શ્વેતા પટેલને સન્માન: 15 ઓગસ્ટે દિલ્હીમાં ધ્વજવંદનમાં વિશિષ્ટ અતિથિ બનશે, જે ગૌરવની વાત છે.
Published on: 05th August, 2025

યુવા લેખિકા શ્વેતા પટેલને ભારત સરકાર દ્વારા 15 ઓગસ્ટે દિલ્હીમાં સ્વાતંત્ર દિવસના ધ્વજવંદન કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિ તરીકે આમંત્રણ મળ્યું છે. દર વર્ષે લાલ કિલ્લા પર આયોજિત રાષ્ટ્રીય પર્વમાં દેશની પ્રતિભાઓને ભારત સરકાર આમંત્રિત કરે છે. આ વર્ષે શ્વેતા પટેલને શિક્ષણ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયના સંયુક્ત આયોજનમાં આમંત્રણ મળ્યું છે. શ્વેતા પટેલ PM યુવા લેખક મેન્ટરશિપ યોજના-1ના વિજેતા છે.