જોરાવરનગર ખાતે સવા આયુષ હોસ્પિટલમાં 22 માર્ચે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન.
જોરાવરનગર ખાતે સવા આયુષ હોસ્પિટલમાં 22 માર્ચે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન.
Published on: 20th March, 2026

સુરેન્દ્રનગરના જોરાવરનગર સ્થિત સવા આયુષ હોસ્પિટલ ખાતે 22 માર્ચે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે. જેમાં નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાનું સન્માન થશે અને હોસ્પિટલના નવા આધુનિક વિભાગોનું ઉદ્ઘાટન થશે. આ વિભાગોમાં રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિભાગ, લેઝર દ્વારા પથરીની સર્જરી (RIRS) વિભાગ અને એન્ડોસ્કોપિક સ્પાઈન સર્જરી વિભાગનો સમાવેશ થાય છે. કેમ્પમાં નિષ્ણાત ડોકટરો સેવા આપશે તથા પ્રથમ 50 દર્દીઓ માટે મોતિયાના ઓપરેશન નિઃશુલ્ક કરાશે.