માતાના મઢ ખાતે પ્રથમ નોરતે આઇ આશાપુરાના આશીર્વાદ લીધા.
માતાના મઢ ખાતે પ્રથમ નોરતે આઇ આશાપુરાના આશીર્વાદ લીધા.
Published on: 20th March, 2026

દેશ દેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે આશરે 10,000 ભક્તોએ દર્શન કર્યા. સવારથી ભીડ હતી, પરંતુ બપોર પછી ભારે પવન અને વરસાદને કારણે ભક્તોની સંખ્યામાં ઘટાડો થયો. ચૈત્રી નવરાત્રીના આરંભે જ મોટી સંખ્યામાં દર્શનાર્થી ઉમટ્યા હતા. મીની વાવાઝોડાને કારણે મંદિર પરિસરમાં મંડપ જમીનદોસ્ત થઈ ગયો હતો.