સૌરાષ્ટ્ર કચ્છના 690 ગામોમાં અંધારપટ્ટ, રાજકોટ ગ્રામ્યના 112 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો.
સૌરાષ્ટ્ર કચ્છના 690 ગામોમાં અંધારપટ્ટ, રાજકોટ ગ્રામ્યના 112 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો.
Published on: 20th March, 2026

સૌરાષ્ટ્ર-કચ્છમાં 50-60 km ની ઝડપે વાવાઝોડા સાથે કમોસમી વરસાદથી PGVCL નું પાવર સપ્લાય નેટવર્ક ખોરવાયું. વીજ થાંભલા અને વાયર તૂટવાથી 690 ગામડામાં વીજ પુરવઠો ખોરવાયો. જામનગર-દ્વારકા જિલ્લાના 302 ગામડામાં વીજ પુરવઠો ખોરવાયો અને રાજકોટના ઘણા વિસ્તારોમાં કલાકો સુધી પાવર ઠપ્પ થઈ ગયો.