બનાસકાંઠામાં ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ઘર્ષણ થતા SP દ્વારા વાંધાજનક પોસ્ટ ન કરવા સૂચના અપાઈ.
બનાસકાંઠામાં ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ઘર્ષણ થતા SP દ્વારા વાંધાજનક પોસ્ટ ન કરવા સૂચના અપાઈ.
Published on: 20th March, 2026

બનાસકાંઠાના ભાભરના રૂની ગામે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ઘર્ષણ થતા પોલીસ એક્શનમાં આવી. SP ચિંતન તરૈયાએ આગેવાનો સાથે બેઠક કરી શાંતિ જાળવવા સૂચના આપી. ઓગડના ઉણ ગામમાં હુમલાના કેસમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી. હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ કાબૂમાં છે. SP દ્વારા સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ ન કરવા સૂચના અપાઈ છે.