પોરબંદરથી જૂનાગઢ માટે શિવરાત્રી મેળા નિમિત્તે એસ.ટી.ની રાઉન્ડ ધ ક્લોક વધારાની બસો અને તંત્રની તૈયારીઓ.
પોરબંદરથી જૂનાગઢ માટે શિવરાત્રી મેળા નિમિત્તે એસ.ટી.ની રાઉન્ડ ધ ક્લોક વધારાની બસો અને તંત્રની તૈયારીઓ.
Published on: 07th February, 2026

પોરબંદર એસ.ટી. વિભાગ દ્વારા શિવરાત્રીના મિની કુંભ મેળા માટે ભાવિકોને જૂનાગઢ ભવનાથ પહોંચાડવા રાઉન્ડ ધ ક્લોક વધારાની બસો દોડાવવામાં આવશે. આ વર્ષે શિવરાત્રી મેળો 'મિની કુંભ મેળો' જાહેર થયો છે. પોરબંદર એસ.ટી. ડેપો દ્વારા પોરબંદર, રાણાવાવ, કુતિયાણા તેમજ દેવભૂમિ દ્વારકાથી પણ જૂનાગઢ જવા માટે વધારાની બસો ઉપલબ્ધ રહેશે. જૂનાગઢ બસ સ્ટેશનથી મેળામાં જવા માટે 24 કલાક મિની બસો મળશે.