મહેસાણા: શંખેશ્વર પંથકમાં વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ભીતિ, ધરતીપુત્રો ચિંતિત.
મહેસાણા: શંખેશ્વર પંથકમાં વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ભીતિ, ધરતીપુત્રો ચિંતિત.
Published on: 14th August, 2025

વઢીયાર પંથકમાં વરસાદ આધારિત ખેતી થાય છે. ચાલુ સાલે વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ મોંઘા બીયારણ અને ખાતર લાવી વાવણી કરી, પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા ચિંતા વધી છે. કપાસ, જુવાર, એરંડા જેવા પાકોની વાવણી કરી છે. Patan જિલ્લામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. ખેડૂતો આકાશ તરફ મીટ માંડી વરસાદની રાહ જોઈ રહ્યા છે, જો વરસાદ ના વરસે તો શિયાળામાં ચણાની ખેતી માં પણ મુશ્કેલી આવે તેમ છે.