ભરૂચમાં પતિ-નણંદે નિરાધાર મહિલાને કાઢી મૂકી, 181 અભયમ ટીમે સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપ્યો.
ભરૂચમાં પતિ-નણંદે નિરાધાર મહિલાને કાઢી મૂકી, 181 અભયમ ટીમે સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપ્યો.
Published on: 28th March, 2026

ભરૂચમાં પતિ અને નણંદ દ્વારા મારઝૂડ કરી કાઢી મૂકાયેલી નિરાધાર મહિલાએ જણાવ્યું કે તેઓ મજૂરીની કમાણી લઈ લેતા અને શારીરિક હિંસા કરતા. સંતાન અને માતા-પિતાનો સહારો ન હોવાથી તેમજ આધાર કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સ પણ સળગાવી દેવાયા હોવાથી તે નિરાધાર બની ગઈ હતી. ઝઘડિયા પોલીસે 181 અભયમ ટીમને જાણ કરી, જેમણે કાઉન્સેલિંગ કરી સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો.