અમદાવાદ: કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે જૂનું મકાન ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાની નહિ.
અમદાવાદ: કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે જૂનું મકાન ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાની નહિ.
Published on: 08th September, 2025

અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે વર્ષો જૂનું જર્જરિત મકાન ધરાશાયી થયું, કોઈ જાનહાની થઈ નથી. ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી કાટમાળ ખસેડવાની કામગીરી કરી રહી છે. વરસાદના કારણે મકાન ધરાશાયી થયું હોવાનું માનવામાં આવે છે. દુકાનદારોને હાલાકી પડી રહી છે, પરંતુ સદનસીબે જાનહાની ટળી. હાલ કાટમાળ ખસેડી રસ્તો ચાલુ કરાઈ રહ્યો છે.