સુરતમાં કાકા-ભત્રીજાએ જમીન દલાલ સાથે રૂ. 10.87 કરોડની ઠગાઈ કરી, સોદો રદ થવા છતા મિલકત પડાવી.
સુરતમાં કાકા-ભત્રીજાએ જમીન દલાલ સાથે રૂ. 10.87 કરોડની ઠગાઈ કરી, સોદો રદ થવા છતા મિલકત પડાવી.
Published on: 07th February, 2026

મૂળ જમીન માલિક સાથે સોદો રદ થવા છતાં, કાકા-ભત્રીજા સહિત ત્રણ લોકોએ હિમાલય કળથીયા પાસેથી રોકડ અને મિલકતો મળીને કુલ રૂ. 10.87 કરોડ પડાવી લીધા. જમીનનો સોદો 14 કરોડમાં નક્કી થયો હતો, જેમાં 5 કરોડ રોકડા આપવાના હતા. કળથીયાએ હેત્વી એવન્યુ, ડીંડોલીની દુકાનો અને ફ્લેટ્સ જેવી મિલકતો આપી હતી. તપાસ કરતા ખબર પડી કે જમીન માલિકે નાણાં ન મળતા સોદો રદ કર્યો હતો.