જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં મોટા ફેરફાર
જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં મોટા ફેરફાર
Published on: 03rd June, 2026

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછતને પહોંચી વળવા 'જ્ઞાન સહાયક યોજના'ના નિયમોમાં શિક્ષણ વિભાગે નોંધપાત્ર ફેરફારો કર્યા છે. હવે વયમર્યાદા 40 થી વધારી 48 વર્ષ કરી દેવાઈ છે, જેથી વધુ ઉમેદવારોને તક મળશે. મેરિટ પર્સન્ટાઈલને બદલે હવે TET પરીક્ષાના વાસ્તવિક ગુણ પર આધારિત બનશે. 'મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ' સિવાયની સામાન્ય શાળાઓમાં પણ નિમણૂક શક્ય બનશે. ઉમેદવારે માત્ર એક જિલ્લો પસંદ કરવાનો રહેશે અને રૂબરૂ બોલાવીને શાળા ફાળવાશે. પહેલીવાર વેટિંગ લિસ્ટની પણ જોગવાઈ કરાઈ છે.