આણંદ જિલ્લાના ઉમરેઠ કાલસર નજીક મહી કેનાલમાં દંપતીએ મોતની છલાંગ લગાવી
આણંદ જિલ્લાના ઉમરેઠ કાલસર નજીક મહી કેનાલમાં દંપતીએ મોતની છલાંગ લગાવી
Published on: 04th June, 2026

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના કાલસર ગામ પાસે મહી કેનાલમાં એક પરિણીત દંપતીના મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. ગીતાબહેન અને તેમના પતિ શૈલેષકુમાર નામના આ દંપતીએ કોઈ અજ્ઞાત કારણોસર કેનાલના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. ઉમરેઠ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) માટે ખસેડ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.