મેઘરજના નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણના બીજા સોમવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે પંચામૃત અભિષેક અને સ્તોત્ર પાઠ કરાયા.
મેઘરજના નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણના બીજા સોમવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે પંચામૃત અભિષેક અને સ્તોત્ર પાઠ કરાયા.
Published on: 04th August, 2025

અરવલ્લીના મેઘરજમાં શ્રાવણના બીજા સોમવારે નીલકંઠ મહાદેવ મંદિરમાં ભક્તિમય માહોલ છવાયો. ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે શિવજીનો પંચામૃત અભિષેક કર્યો અને રુદ્ર અભિષેક તથા સ્તોત્ર પાઠ થયા. શિવાલયોમાં ભક્તો "ઓમ નમઃ શિવાય"ના નાદ સાથે દુગ્ધ અને જળનો અભિષેક કરે છે. ભોલેનાથને રીઝવવા ભક્તો પૂજન કરે છે, અને બીલીપત્રનું અનુષ્ઠાન કરાય છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આશીર્વાદ મેળવ્યા.