ગુજરાતમાં ભારે વરસાદના કરણે 357 રસ્તાઓ બંધ, વાહનવ્યવહાર ખોરવાયો
ગુજરાતમાં ભારે વરસાદના કરણે 357 રસ્તાઓ બંધ, વાહનવ્યવહાર ખોરવાયો
Published on: 26th July, 2026

ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન અને વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. પાણી ભરાવાને કારણે કુલ 357 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે, જેમાં 22 સ્ટેટ હાઈવે, 2 નેશનલ હાઈવે, 35 મુખ્ય માર્ગો અને 298 પંચાયત રસ્તાઓનો સમાવેશ થાય છે. વલસાડ, અમદાવાદ, સુરત અને નવસારી જિલ્લા સૌથી વધુ અસરગ્રસ્ત છે. વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા સૂચના અપાઈ છે.