જામનગરમાં ભક્તિભાવ સાથે પર્યુષણ પર્વનો પ્રારંભ
જામનગરમાં ભક્તિભાવ સાથે પર્યુષણ પર્વનો પ્રારંભ
Published on: 09th September, 2026

જામનગરમાં ‘અર્ધ શેત્રુંજ્ય’ તરીકે પ્રખ્યાત શહેરમાં પવિત્ર પર્યુષણ પર્વનો ભક્તિભાવ અને ધાર્મિક વાતાવરણ વચ્ચે પ્રારંભ થયો છે. આ પર્વ નિમિત્તે શહેરના વિવિધ દેરાસરો અને ઉપાશ્રયોમાં પરંપરાગત ધાર્મિક આયોજનોનો શુભારંભ થયો છે. સમગ્ર જૈન સમાજમાં પર્વને લઈને ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ છે. પર્યુષણ દરમિયાન જૈન સમાજ આત્મશુદ્ધિ, સંયમ, તપ અને સાધનાને વિશેષ મહત્વ આપે છે. વ્યાખ્યાનમાળા, સામૂહિક પ્રતિક્રમણ, સામાયિક, પૂજન, સ્વાધ્યાય જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગુરુ ભગવંતોના માર્ગદર્શન હેઠળ શ્રાવક-શ્રાવિકાઓ આત્મકલ્યાણના માર્ગે આગળ વધી રહ્યા છે.