68 દિવસ બાદ સિંગણપોર કોઝવે પુન: ખુલ્લો
68 દિવસ બાદ સિંગણપોર કોઝવે પુન: ખુલ્લો
Published on: 09th September, 2026

સુરત અને ઉપરવાસમાં વરસાદ ઘટતાં તાપી નદીનું જળસ્તર નીચું આવ્યું છે. જેના કારણે 3 જુલાઈથી બંધ કરાયેલો સિંગણપોર કોઝવે 68 દિવસ બાદ ફરી ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ નિર્ણયથી સિંગણપોર અને રાંદેર વચ્ચે અવરજવર કરતા વાહનચાલકોને લાંબા ચકરાવા અને ટ્રાફિકજામમાંથી મોટી રાહત મળી છે. ભારે વરસાદને કારણે તાપી નદીમાં પાણી વધતાં સુરક્ષા હેતુ કોઝવે બંધ કરાયો હતો. હાલ પાણીનું સ્તર સલામત થતાં કોઝવે પર વાહન વ્યવહાર શરૂ કરાયો છે, જેનાથી સ્થાનિક નાગરિકોમાં ખુશીનો માહોલ છે.