વડોદરાના ગાજરાવાડીમાં પાણીની લાઈનમાં ભંગાણ
વડોદરાના ગાજરાવાડીમાં પાણીની લાઈનમાં ભંગાણ
Published on: 09th September, 2026

વડોદરાના ગાજરાવાડી પાણીની ટાંકી પાસે પીવાના પાણીની સપ્લાય લાઈનમાં ફરી ભંગાણ પડતાં હજારો લિટર પાણી વેડફાયું. મહિનાઓથી ગટરમિશ્રિત પાણીની સમસ્યા યથાવત્ હોવા છતાં પાણીની લાઈનમાં ભંગાણની ઘટના પાલિકાની કાર્યક્ષમતા પર પ્રશ્નાર્થ સર્જે છે. સામાજિક કાર્યકર પંકજ દર્વેએ તંત્રની નિષ્કાળજી અને પ્રાથમિક સમસ્યાઓના નિરાકરણમાં નિષ્ફળતા અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, અદ્યતન ટેકનોલોજીના દાવા છતાં, સ્થાનિકોને વારંવાર પાણીની સમસ્યા અને ગટરમિશ્રિત પાણીથી રોગચાળાનો સામનો કરવો પડી રહ્યો છે.