ઉત્તરાખંડના હરિદ્વારમાં મનસા દેવી હિલ્સમાં ભૂસ્ખલન થતા ટ્રેનની અવર-જવર ઠપ થઈ ગઈ.
ઉત્તરાખંડના હરિદ્વારમાં મનસા દેવી હિલ્સમાં ભૂસ્ખલન થતા ટ્રેનની અવર-જવર ઠપ થઈ ગઈ.
Published on: 08th September, 2025

ઉત્તરાખંડના હરિદ્વારમાં ભીમગોડા રેલ્વે ટનલ અને કાલી માતા મંદિર નજીક Mansa Devi Hillsનો એક મોટો ભાગ તૂટી પડતા ભૂસ્ખલન થયું. આ કારણે દેહરાદૂન-હરિદ્વાર રૂટ પર ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ. કાલી મંદિર પાસે પર્વત તૂટી પડતા રેલવે ટ્રેક બંધ થયો અને ભીમગોડા ટનલ નજીક રેલ્વે ટ્રેકને નુકસાન થયું. ટ્રેકને સુરક્ષિત રાખવા લોખંડની જાળીને પણ નુકસાન થયું.