હિંમતનગરના ગઢોડામાં અનોખી ચૈત્ર નવરાત્રી: વર્ષો જૂની પરંપરાથી ભક્તિભાવપૂર્ણ ઉજવણી.
હિંમતનગરના ગઢોડામાં અનોખી ચૈત્ર નવરાત્રી: વર્ષો જૂની પરંપરાથી ભક્તિભાવપૂર્ણ ઉજવણી.
Published on: 23rd March, 2026

હિંમતનગરના ગઢોડામાં ચૈત્ર નવરાત્રીનો અનોખો ઉત્સવ ભક્તિભાવથી ઉજવાય છે. આસો મહિનાની જગ્યાએ વર્ષો જૂની પરંપરા મુજબ ચૈત્ર નવરાત્રીનું વિશેષ આયોજન થાય છે. જેમાં ગઢોડા ગામના નવરાત્રી માઈ મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવે છે. 'ફરતી નવરાત્રી' અહીંનું મુખ્ય આકર્ષણ છે, જેમાં શુભ મુહૂર્તમાં માતાજીની સ્થાપના બાદ માંડવી ફરતી જોવા મળે છે. નવરાત્રી ચોકને આકર્ષક લાઈટિંગથી સજાવવામાં આવે છે અને ખેલૈયાઓ ગરબા રમે છે.