ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ દ્વારા નર્મદા પરિક્રમા સુવિધાઓનું નિરીક્ષણ કરાયું.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ દ્વારા નર્મદા પરિક્રમા સુવિધાઓનું નિરીક્ષણ કરાયું.
Published on: 23rd March, 2026

'ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા'માં યાત્રિકોને અગવડ ન પડે તે માટે બોર્ડ દ્વારા વ્યવસ્થાઓની ગુણવત્તા ચકાસવા સચિવ રમેશ મેરજાએ પરિક્રમા રૂટની મુલાકાત લીધી. રામપુરા ઘાટ પર જેટી, બોટિંગ વ્યવસ્થા, લાઈફ જેકેટ, પીવાના પાણી, ચેન્જિંગ રૂમ, CCTV કંટ્રોલ રૂમની સમીક્ષા કરી. શ્રદ્ધાળુઓ સાથે સંવાદ કર્યો, મિશન મંગલમ સ્ટોલની મુલાકાત લીધી. બોર્ડ દ્વારા વોટરપ્રૂફ ડોમ, મેડિકલ યુનિટ અને એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવાઈ છે.