ચોથા નોરતે મા કુષ્માંડાની આરાધના.
ચોથા નોરતે મા કુષ્માંડાની આરાધના.
Published on: 22nd March, 2026

ચૈત્ર નવરાત્રિના ચોથા દિવસે દેવી દુર્ગાના કુષ્માંડા સ્વરૂપની પૂજા થાય છે, જે બ્રહ્માંડને જન્મ આપનાર અને આદિ શક્તિ છે. માતાને ઘડાનું બલિદાન પ્રિય છે અને તેઓ આઠ ભુજાઓ ધારણ કરે છે. તેમના હાથમાં કમંડલ, ધનુષ્ય, બાણ, કમળ, અમૃત કલશ, ચક્ર, ગદા અને જપ માળા શોભે છે. સિંહ તેમનું વાહન છે.માતા સૂર્યમંડળમાં વાસ કરે છે, અને તેમની ઉપાસનાથી રોગ, કષ્ટ દૂર થાય છે, સ્વાસ્થ્ય મળે છે તથા કુંડળીમાં સૂર્યની નબળાઈ દૂર થાય છે.