આજે ચૈત્રી નવરાત્રિનું ત્રીજું નોરતું: માતા ચંદ્રઘંટાની આરાધનાનું મહત્ત્વ અને પૂજા-વિધિ વિશે જાણો.
આજે ચૈત્રી નવરાત્રિનું ત્રીજું નોરતું: માતા ચંદ્રઘંટાની આરાધનાનું મહત્ત્વ અને પૂજા-વિધિ વિશે જાણો.
Published on: 21st March, 2026

આજે ચૈત્રી નવરાત્રિનું ત્રીજું નોરતું છે, જેમાં માતા ચંદ્રઘંટાની આરાધના થાય છે. માતાનું સ્વરૂપ સુવર્ણ જેવું કાંતિવાન છે, તેમના માથા પર ઘંટ આકારનો અર્ધચંદ્ર છે. માતાજી દસ ભુજામાં ધનુષ-બાણ, તલવાર, ત્રિશૂળ ધારણ કરે છે. તેમની પૂજાથી ભયનો નાશ થાય છે. ત્રિદેવના તેજમાંથી પ્રગટેલા માતા ચંદ્રઘંટાએ મહિષાસુરનો સંહાર કર્યો હતો. પૂજન સમયે કમળનું પુષ્પ અર્પણ કરો અને દૂધની મીઠાઈ ધરાવો.