ગોધરામાં Cheti Chand પર્વની ઉજવણી.
ગોધરામાં Cheti Chand પર્વની ઉજવણી.
Published on: 21st March, 2026

ગોધરામાં સિંધી સમાજે આરાધ્ય દેવ ભગવાન ઝૂલેલાલનો જન્મોત્સવ એટલે કે Cheti Chand પર્વની ઉજવણી કરી. ભવ્ય શોભાયાત્રામાં શ્રદ્ધાળુઓ જોડાયા, ઝૂલેલાલ મંદિરમાં વિશેષ પૂજા થઈ. 'આયોલાલ-ઝૂલેલાલ'ના નાદ સાથે શોભાયાત્રા નીકળી, જેમાં પાલખી અને ધાર્મિક ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર રહ્યા. યુવાનો અને મહિલાઓ લોકનૃત્ય રમ્યા, ઠેર-ઠેર સ્વાગત અને પ્રસાદની વ્યવસ્થા કરાઈ. સાંજે જ્યોત વિસર્જન અને મહાપ્રસાદ સાથે મહોત્સવ પૂર્ણ થયો.